ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ચાલી રહેલી મંત્રીમંડળની બેઠકમાં મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. કૃષિ મંત્રી આર.સી ફળદુએ ટેકાના ભાગે મગફળી ખરીદી અને પાકની ચૂકવણી વિશે માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી થાય અને તેમને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે. તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત, વિધાનસભા સત્રમાં રજૂ થનાર બજેટ ,,ગુજરાતમાં કોરોના વાયરસને લઈ આરોગ્ય ચકાસણી, તથા ખેડૂતોની મગફળીના ટેકાના ભાવ ખરીદી બાબતે ચર્ચા થવાની સંભાવના છે.

0 Comments